मंगलवार, 15 दिसंबर 2015

...और व्याकुल हो उठे सरदार पटेल


 मैंने परेश रावल अभिनीत फिल्म सरदार देखी। फिल्म एक दृश्य में मैंने सरदार को काफी बेचैन पाया। उनकी उस बेचैनी का कारण पता चला, तो मैं भी सचमुच व्याकुल हो उठा। फिल्म के दृश्य के अुसार उस दिन सरदार वल्लभभाई पटेल काफी व्याकुल हो गए। वह दिन कोई सामान्य दिन नहीं था। इतिहास तय करने वाला था भविष्य।

Read more at: http://hindi.oneindia.com/news/2012/10/31/india-sardar-not-want-third-party-intervention-kashmir-issue-223457.html

...અને વ્યાકુળ થઈ ઉઠ્યાં સરદાર પટેલ



હું પરેશ રાવલ અભિનીત સરદાર ફિલ્મ જોઈ રહ્યો હતો. આજે દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી છે. તેથી મેં વિચાર્યું કે આ ફિલ્મ જોઈને સરદારને યાદ કરી લઇએ, પરંતુ ફિલ્મમાં એક દૃશ્ય એવું આવ્યું કે જેમાં સરદાર વ્યાકુળ દેખાતા હતાં અને તેમની વ્યાકુળતાએ મને આજે ભારતીય સ્વાતંત્ર્યના 65 વર્ષ બાદ પણ વ્યાકુળ કરી નાંખી.

Read more at: http://gujarati.oneindia.com/news/india/sardar-not-want-third-party-intervention-kashmir-proble-001525.html

बुधवार, 9 दिसंबर 2015

ગુજરાત : ભાજપ માટે ‘ફાઇનલ’ પહેલા બે ‘સેમી ફાઇનલ’, કૉંગ્રેસ પણ જોશમાં!


ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 પહેલા ભાજપ-કૉંગ્રેસ વચ્ચે 2016માં વધુ બે વખત ચૂંટણી જંગ ખેલાશે.. વાંચો ખાસ અહેવાલ....http://goo.gl/R8GtRG

मंगलवार, 1 दिसंबर 2015

દળદાર વિશ્લેષણ : CMનો ‘મુગટ’, તો PMનું ‘મૉડેલ’ દાવ પર


અમદાવાદ – ગુજરાતમાં બુધવારનો દિવસ રાજકીય દૃષ્ટિએ ઐતિહાસિક રહેવાનો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનાં આવતીકાલે પરિણામો છે અને આ પરિણામો ગુજરાતની આગામી રાજકીય દિશા અને દશા નક્કી કરવાનાં છે, ત્યારે તમામ વિશ્લેષણોથી ‘હટ કે’, એક જુદી જ રીતે આ ચૂંટણીઓને જોઈને જે વિશ્લેષણ અહીં થવા જઈ રહ્યું છે, તેનો સાર એ છે કે ગુજરાતની આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનાં ચોસર પર માત્ર મુખ્યપ્રધાન આનંદીબેન પટેલનો ‘મુગટ’ જ નહીં, પણ એક ડગલું આગળ વધીને વિચારતાં આ ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ‘મૉડેલ’ પણ દાવ પર હતાં અને આ બંને તમગાઓનો ફેંસલો આવતીકાલે થઈ જશે.

હવે થોડુંક વિગતે વિચારીએ, તો અહીં મુગટનો સંબંધ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલનાં સિંહાસન સાથે છે, તો મૉડેલનો અર્થ છે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનું બહુચર્ચિત ગુજરાત મૉડેલ કે જેના બળે તેઓ દેશનાં વડાપ્રધાન બન્યાં.

આવતીકાલે મુગટ અને મૉડેલની અગ્નિ-પરીક્ષા થવાની છે. જોકે મતદારોનો ચુકાદો ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીનો (ઈવીએ)માં બંધ થઈ ચુક્યો છે અને પરંતુ પરિણામોની પૂર્વ સંધ્યાએ આ મહત્વનું વિશ્લેષણ સીએમના મુગટને દોઢ દાયકા અગાઉના રાજકીય દૃષ્ટાંતનાં આધારે અને પીએમના મૉડેલને પાટીદાર અનામત આંદોલન દ્વારા અપાયેલ પડકારના કારણે દાવ પર મૂકી રહ્યું છે.

ચાલો, વાત પહેલા સીએમના મુગટની જ કરી લઇએ. એના માટે આપણે 15 વર્ષ પાછળ જવું પડશે. ગુજરાતમાં 2000માં પણ છ મહાનગરપાલિકાઓ અને આ તમામ જે-તે વખતની જિલ્લા-તાલુકા પંચાયતો તથા નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાઈ હતી. મુખ્યપ્રધાન હતાં કેશુભાઈ પટેલ. બે વર્ષ પહેલાં જ એટલે કે લોકસભા તથા ગુજરાત વિધાનસભા ચૂંટણી 1998માં ભાજપને જોરદાર બહુમતી મળી હતી, પરંતુ 2000ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મોટો ફટકો પડ્યો. તેમાં પણ શહેરી જનાધાર ધરાવતાં પક્ષની છાપ ધરાવનાર ભાજપની સત્તા અમદાવાદ સહિત ત્રણ મહાનગરપાલિકાઓમાં કૉંગ્રેસે છીનવી લીધી, તો અનેક જિલ્લા-તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકાઓમાં પણ ભાજપને હારનો સામનો કરવો પડ્યો. દોષનો ટોપલો મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ પર ઢોળાયો. પડ્યા પર પાટું સમાન આવી પડ્યો ભૂકંપ.

ચૂંટણીના પરાજયનાં ત્રણ મહિનાની દર જ 26મી જાન્યુઆરી, 2001નાં રોજ આવેલો ભૂકંપ કેશુભાઈ પટેલ માટે પણ રાજકીય ભૂકંપ તરીકે સાબિત થયો. ચૂંટણીઓમાં પરાજય અને પછી ભૂકંપ બાદનાં પુનર્વસન કાર્યોમાં ઢિલાશ, નિષ્ફળતા, ભ્રષ્ટાચાર જેવા આક્ષેપોથી ઘેરાયેલા કેશુભાઈ પટેલ સામે પક્ષમાં વિરોધ વધતો ગયો અને 10 જ માસ બાદ નવેમ્બર-2001માં તેમણે સત્તા છોડવી પડી અને મુખ્યપ્રધાન પદે 7મી નવેમ્બર, 2001નાં રોજ નરેન્દ્ર મોદીએ સોગંદ લીધાં.

આમ, 2000-01નાં એ ઘટનાક્રમો અને રાજકીય બનાવોને જોતાં મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ પોતે પણ સમજી ગયા હતાં કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તેમનું સિંહાસન દાવ પર છે. એટલે જ તેમણે પોતાનાં પુરોગામીને કૉપી કર્યાં. 2000માં ગુમાવેલી મહાનગરપાલિકાઓ, જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ પર પુનઃ ભાજપનો કબ્જો કરવા 2005માં તે વખતનાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ચૂંટણી પ્રચારમાં ઉતરી પડ્યા હતાં. મોદીએ સ્થાનિક ચૂંટણીઓમાં પ્રચાર કરીને પણ એક રેકૉર્ડ નોંધાવ્યો, કારણ કે તેમની પહેલા કોઈ પણ મુખ્યપ્રધાને સ્થાનિક ચૂંટણીઓના પ્રચારમાં ઝંપલાવ્યુ નહોતું. દિવાળી ટાણે યોજાયેલી એ ચૂંટણીઓમાં મોદીએ લોકોને કૉંગ્રેસ રૂપી કકળાટને કાઢવાનું આહ્વાન કર્યું અને સફળ પણ થયાં. છએ મહાનગરપાલિકાઓ પર ભાજપે પુનઃ સત્તા હાસલ કરી. જોકે પછી 2010માં મોદી પ્રચારમાં ન ઉતર્યાં. છતાં ભાજપનો વિજય થયો.

હવે વાત કરીએ પીએમના મૉડેલની. આનંદીબેન સમક્ષ બે-બે કસોટીઓ હતી. પોતાનાં મુગટને બચાવવાની અને પોતાના પુરોગામી નરેન્દ્ર મોદીનાં મૉડેલની પ્રતિષ્ઠા જાળવવાની. એટલે જ આનંદીબેને મોદીની જેમ જ સ્થાનિક ચૂંટણીઓમાં પોતે પ્રચારમાં ઝુકાવવું પડ્યું. ભૂતકાળના રાજકીય દૃષ્ટાંત મુજબ ભાજપ હારે, તો આનંદીબેનનું સિંહાસન ડોલશે, એ વાત નક્કી છે. બીજી બાજુ હાર્દિક પટેલના નેતૃત્વ હેઠળ શાંત ગુજરાતનાં પાણીમાં પાટીદાર અનામત આંદોલન તરીકે કાંકરીચાળો કરી જે વમળ ઊભા કરાયાં, તેને ગુજરાત જ નહીં, પણ રાષ્ટ્રીય કક્ષાએ મોદીનાં વિકાસનાં ગુજરાત મૉડેલ સામે પડકાર ગણવામાં આવ્યું. રાષ્ટ્રીય કક્ષાએ એમ ગણગણાટ શરૂ થયો કે જો મોદીનું મૉડેલ યોગ્ય હોત, તો ગુજરાતમાં સંપન્ન સમાજ પાટીદારોએ આંદોલન ન કરવું પડ્યુ હતું.

આમ, આવતીકાલના પરિણામોમાં ભાજપનાં પરાજયનો પહેલો મતલબ મોદીનાં મૉડેલની નિષ્ફળતા તરીકે ગણાશે. બીજો મતલબ આનંદીબેન પટેલની કુનેહ સામે પ્રશ્નચિહ્ન તરીકે ગણાશે અને ત્રીજી બાજુ કૉંગ્રેસને વકરો એવો નફો જેવો ઘાટ રહેશે. જોઇએ આવતીકાલે શું થાય છે?

सोमवार, 30 नवंबर 2015

હું દરિયો નથી...

હું દરિયો નથી કે દરેક સારાઈ-નરસાઈને પોતાનામાં સમાવી શકુ
હું તે નદી પણ નથી કે જે પોતાનામાં નાંખવામાં આવેલી સારાઈ-નરસાઈને પોતાનાં વહેણમાં વહાવી પુનઃ પવિત્ર થઈ જાય
હું તો તે સરોવર છું કે જેનું શુદ્ધ પાણી કોઈ પણ સારાઈ-નરસાઈ પડતાં જ મલિન થઈ જાય છે અને આ મલિનતા કલાકો-દિવસો અને મહિનાઓ સુધી રહે છે.
મુજ સરોવરને પુનઃ પોતાનાં પાણીની શુદ્ધતા હાસલ કરવા માટે મારામાં નાંખવામાં આવેલી સારાઈ-નરસાઈમાંથી ઉત્પન્ન વમળનાં શાંત થવાની પ્રતીક્ષા કરવી પડે છે અને આ પ્રતીક્ષા તેના પૂર્ણ થવા સુધી મને પીડા આપે છે.
તેથી હું પોતાનાં તમામ મિત્રો, પરિજનો અને સ્નેહીજનો પાસે એટલી જ અપેક્ષા રાકુ છું કે મુજ સરોવરને પહેલા વહેતી નદી અને પછી દરિયો બનવા દો. પછી જેટલા ઇચ્છો, તેટલા દ્વંદ્વ નાંખજો. હું સરોવર પોતાની જાતને નદી અને તેના પછી દરિયો બનાવવાની દિશામાં અગ્રેસર થઈ ચુક્યો છું. તે માર્ગે ડગલુ માંડી ચુક્યો છું. નથી જાણતો, એક ડગલું પણ ચાલ્યો છું કે નહીં, પણ હું પ્રતીક્ષા કરી રહ્યો છું દરિયો બનવાની અને પ્રયત્નો પણ કદાચ ચાલુ છે. આપ સૌને પ્રાર્થના એટલી જ છે કે મારી પ્રતીક્ષા અને મારા પ્રયત્નોનાં સફળતાપૂર્વક પૂર્ણ થવાની આપ પણ પ્રાર્થના કરો.

-કાન્હા કહે

मैं सागर नहीं...

मैं सागर नहीं कि हर अच्छाई-बुराई को स्वयं में समा सकूँ
मैं वह नदी भी नहीं, जो स्वयं में उड़ेली गई अच्छाई-बुराई को अपने बहते पानी से बहा कर पुनः पवित्र हो जाए
मैं तो हूँ वह झील, जिसका शुद्ध जल किसी भी अच्छाई-बुराई के पड़ते ही मलिन हो जाता है और यह मलिनता घण्टों-दिनों और महीनों तक रहता है।
मुझ झील को पुनः अपनी जलीय शुद्धता प्राप्त करने के लिए मुझमें डाली गई अच्छाई-बुराई से उत्पन्न विक्षेप के शांत होने की प्रतीक्षा करनी पड़ती है अनेऔर यह प्रतीक्षा उसके पूर्ण होने तक मुझे पीड़ा देती है।
इसलिए मैं अपने सभी मित्रों, परिजनों औऔऔर स्नेहीजनों से इतनी ही आशा रखता हूँ कि मुझ झील को पहले बहती नदी और फिर सागर बनने दीजिए। फिर जितने चाहे. उतने द्वंद्व उड़ेलिएगा। मैं झील स्वयं को नदी और उसके बाद सागर बनाने की दिशा में अग्रसर हो चुका हूँ। उस मार्ग पर पग रख चुका हूँ। नहीं जानता, एक कदम भी चला हूँ या नहीं, परंतु मैं प्रतीक्षा कर रहा हूँ सागर बनने और प्रयत्न भी कदाचित जारी हैं। आप से प्रार्थना इतनी ही है कि मेरी प्रतीक्षा और मेरे प्रयत्नों के सफलतापूर्वक पूर्ण होने की आप भी प्रार्प्रार्थना करें।

-कान्हा कहे

रविवार, 15 नवंबर 2015

નૂતન વર્ષ વિશેષ : સરદારના એક સંકલ્પે ઊભું થયું ભવ્ય સોમનાથ મંદિર



‘દરિયાના પાણી હથેળીમાં લઈ અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ કરાવીશું.’ લોખંડી પરુષ સરદાર વલ્લભભાઈ પટેલે ભારતની આઝાદી બાદ પહેલી વાર ગુજરાતમાં ઉજવવામાં આવેલા બેસતા વર્ષના દિવસે પોતાના સાથીઓ સાથે મળી આ પ્રતિજ્ઞા કરી હતી. 1947ના વર્ષમાં ગુજરાતમાં વિક્રમ સંવત પ્રમાણે બેસતું વર્ષ 13મી નવેમ્બરના રોજ હતું. સરદાર પટેલ બેસતાં વર્ષના દિવસે ગુજરાતમાં હતાં.
વધુ વાંચવા ક્લિક કરો... http://chitralekha.com/breaking-news/sardar-patel-oth-renovation-somnath-temple/